અર્થ છે ખરો ?
શું આરતી ઉતારવાનો અર્થ છે ખરો ?
કૈં એમને ધરાવવાનો અર્થ છે ખરો ?
જો ધ્વનિ માત્ર ઉદભવે છે એમના થકી,
તો ઝાલરો વગાડવાનો અર્થ છે ખરો ?
ઇચ્છાથી જેમની સદા જાગે સકળ જગત,
શું એમને જગાડવાનો અર્થ છે ખરો ?
એ ઓળખે છે ભીતર ને બ્હારથી સૌને,
માખણ હવે લગાડવાનો અર્થ છે ખરો ?
-મેહુલ ભટ્ટ, ૪.૭.૨૦૧૨
